છેલ્લા કેટલાક દિવસોના ઉછાળા બાદ આજે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો (Stock Market Crash). શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 50 240 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. જોકે, બજાર બંધ થયું ત્યાં સુધીમાં સેન્સેક્સ 426 પોઈન્ટ ઘટીને 79,924ના સ્તરે અને નિફ્ટી 108 પોઈન્ટથી વધુ ઘટીને 24,324 પોઈન્ટ પર બંધ થયો હતો. સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી માત્ર 10 શેરો વધ્યા હતા. બાકીના તમામ શેર લાલ નિશાનમાં હતા.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં સૌથી વધુ 7 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. આ પછી ટાટા સ્ટીલ, ટીસીએસ અને એસબીઆઈ જેવા શેર ઘટ્યા હતા. બેન્ક નિફ્ટી પણ 380 પોઈન્ટ ઘટીને રૂ.52,189 પર બંધ રહ્યો હતો. આટલા મોટા ઘટાડાને કારણે સેન્સેક્સનું માર્કેટ કેપ લગભગ રૂ. 7 લાખ કરોડ ઘટી ગયું હતું, એટલે કે રોકાણકારોના મૂલ્યાંકનમાં રૂ. 7 લાખ કરોડનો ઘટાડો થયો હતો.
આ પાંચ શેરોમાં સૌથી મોટો ઘટાડો
AC મેન્યુફેક્ચરિંગ કંપની બ્લુ સ્ટારના શેરમાં 7 ટકાથી વધુ, MCXના શેરમાં 4 ટકા, બંધન બેન્કના શેરમાં 4 ટકા, BSEના શેરમાં 4 ટકા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 6.61 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય SBI અને PNB જેવા બેંકિંગ સેક્ટરના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
શેરબજાર કેમ ઘટ્યું?
આગળ શું થશે?
નિષ્ણાતોના અંદાજ મુજબ બજેટ સુધી બજાર અસ્થિર રહેશે. જ્યાં સુધી કેન્દ્ર સરકાર સ્પષ્ટ નહીં કરે કે સરકાર પૈસા ક્યાં ખર્ચવા જઈ રહી છે અને અર્થવ્યવસ્થાને લઈને શું પગલાં લેશે ત્યાં સુધી બજારમાં ઉતાર-ચઢાવ રહેશે.