15મી ઓગસ્ટે દિલ્હીમાં આતંકી હુમલાનું એલર્ટ છે. આ સંદર્ભે પોલીસે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે અને દરેક જગ્યાએ ચાંપતો બંદોબસ્ત વધારી દીધો છે. 15 ઓગસ્ટ પહેલા આતંકવાદી ગતિવિધિઓના ઈનપુટને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ કમિશનરે દિલ્હીમાં પેરાગ્લાઈડર, પેરામોટર જેવા હવાઈ ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આમાં હેંગ ગ્લાઈડર્સ, માનવરહિત હવાઈ વિમાન જેવા કે રમકડા વગેરે, માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમ, માઈક્રો લાઈટ એરક્રાફ્ટ, રિમોટલી પાયલોટ એરક્રાફ્ટ, ડ્રોન, હોટ એર બલૂન, નાના કદના પાયલોટ એરક્રાફ્ટ, ક્વોડકોપ્ટર અને પેરા જમ્પિંગ વગેરે પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. .
આ આદેશ દિલ્હી પોલીસ કમિશનર દ્વારા જારી કરવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે નિયમનું ઉલ્લંઘન ભારતીય દંડ સંહિતાની કલમ 188 હેઠળ ગુનો ગણવામાં આવશે. આ પ્રતિબંધ આગામી 15 દિવસ એટલે કે 2 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી રહેશે. આ આદેશનું ઉલ્લંઘન ભારતીય ન્યાયિક સંહિતા, 2023ની કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ આદેશની જાણ પોલીસ સ્ટેશનો, તહસીલ કચેરીઓ અને અન્ય જાહેર કચેરીઓમાં નોટિસ દ્વારા કરવામાં આવશે.