અખિલેશ યાદવઉત્તર પ્રદેશમાં શાનદાર જીત નોંધાવ્યા બાદ હવે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ છોડી દેશની રાજનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અખિલેશ યાદવ આજે એટલે કે 11મી જૂને કરહાલ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપી શકે છે. સુત્રો પાસેથી આ માહિતી મળી છે કે અખિલેશ યાદવે સૈફઈના નેતાઓ સાથેની બેઠક બાદ આ નિર્ણય લીધો છે. આજે સવારે લખનૌ પહોંચ્યા બાદ અખિલેશ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં તેઓ કન્નૌજ લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. હવે તેઓ સંસદમાં પોતાના 37 સાંસદોનું નેતૃત્વ કરશે.
શું કાકા શિવપાલ બનશે વિપક્ષના નેતા?
અખિલેશ યાદવની દિલ્હીની રાજનીતિમાં એન્ટ્રી બાદ મોટો સવાલ એ છે કે યુપીમાં વિપક્ષના નેતાનું પદ કોણ સંભાળશે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે શિવપાલ યાદવને વિધાયક દળના નેતા બનાવવામાં આવી શકે છે. શિવપાલ હવે વિધાયક દળના સૌથી વરિષ્ઠ સભ્ય હોવાથી માનવામાં આવે છે કે તેમને વિપક્ષના નેતાનું પદ આપવામાં આવી શકે છે. હાલમાં આ અંગે અંતિમ નિર્ણય અખિલેશ યાદવ જ લેશે.
આ પણ વાંચોઃ અખિલેશ યાદવે કહ્યું- જે અવઢવમાં અટવાયું છે તે સરકાર નથી.
કન્નૌજથી બીજેપીને હરાવીને અખિલેશ સંસદમાં પહોંચ્યા
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કન્નૌજ સંસદીય સીટ પર 1,70,922 મતોના માર્જિનથી જીત મેળવી છે. અખિલેશ યાદવને કન્નૌજમાં 6,42,292 વોટ મળ્યા જ્યારે તેમના નજીકના હરીફ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર સુબ્રત પાઠકને 4,71,370 વોટ મળ્યા. જ્યારે બહુજન સમાજ પાર્ટી (BSP)ના ઈમરાન બિન ઝફરને 81,639 વોટ મળ્યા હતા. અખિલેશ વર્ષ 2000માં કન્નૌજ બેઠક પરથી પેટાચૂંટણીમાં લોકસભામાં ચૂંટાયા હતા. તેઓ 2004 અને 2009ની ચૂંટણી પણ જીત્યા હતા.